‘સભ્યતા નિષ્ફળ ગઈ છે’ : મલેશિયાના રાજકારણી મહાથિરે ગાઝા નરસંહાર અંગે અમેરિકા, યુરોપીય સંઘની ટીકા કરી

(એજન્સી)                             તા.૧૫
મલેશિયાના વરિષ્ઠ રાજકારણી મહાથિર મોહમ્મદે શુક્રવારે ઇઝરાયેલ માટે અમેરિકા અને યુરોપિયન યુનિયનના સમર્થનની ટીકા કરતા જણાવ્યું કે તે ‘ઘૃણાસ્પદ છે’. ‘અમેરિકા જે ફરીથી મહાન બનવા માંગે છે તે ઇઝરાયેલી નરસંહારને મદદ કરી રહ્યું છે અને પ્રોત્સાહન આપી રહ્યું છે,’ દક્ષિણપૂર્વ એશિયાના દેશના ૯૯ વર્ષીય ભૂતપૂર્વ વડા પ્રધાને જણાવ્યું હતું. ગાઝા પટ્ટીમાં તેના નરસંહાર સૈન્ય અભિયાન માટે તેલ અવીવના સમર્થન અંગે, તેમણે જણાવ્યું કે, ‘તેના યુરોપિયન સાથીઓ પણ એવું જ કરે છે. આ સંસ્કારી લોકોનું વર્તન નથી, પરંતુ અસંસ્કૃત લોકોનું છે.’ ગાઝામાં ૧૯ જાન્યુઆરીથી યુદ્ધવિરામ અને કેદીઓનું વિનિમય સોદો અમલમાં છે, જેણે ઇઝરાયેલી યુદ્ધને અટકાવ્યું છે જેણે ૪૮,૨૦૦થી વધુ પેલેસ્ટિનિયનોને માર્યા છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે અને વિસ્તારને બરબાદ કર્યો છે. મહાતિરે ઠ પર જણાવ્યું કે, ‘જ્યાં સુધી આપણે આધુનિક સભ્યતા સાથે સંકળાયેલા તમામ ઉચ્ચ નૈતિક મૂલ્યોની અવગણના કરીએ ત્યાં સુધી આપણે સંસ્કારી હોવાનો દાવો કરી શકીએ નહીં.’ તેમણે જણાવ્યું કે, ‘ઇઝરાયેેલ દ્વારા કરવામાં આવી રહેલી સામૂહિક હત્યાને માનવ અધિકાર, માનવ જીવનની પવિત્રતા, ક્રૂરતાની નફરતના મહાન હિમાયતીઓ દ્વારા આર્થિક અને હથિયારોથી સમર્થન આપવામાં આવી રહ્યું છે.’  ‘અમે જોઈએ છીએ કે હજારો લોકો માર્યા જાય છે, ભૂખે મરતા હોય છે, પાણી અને દવાના પુરવઠાથી વંચિત છે. અમે હોસ્પિટલો, શાળાઓ અને શરણાર્થી શિબિરોને બોમ્બમારો થતા અને રોકેટથી હુમલો કરતા જોઈએ છીએ. હા. સભ્યતા નિષ્ફળ ગઈ છે.’

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts