Religion

હદીસ બોધ

અહેસાન કરવાથી માન વધે છે. (હદીસ બોધ)

બોધ વચન

મહત્ત્વાકાંક્ષા એક પ્રકારનું રસપાન છે. કેટલાકને એ તારે છે તો કેટલાકને મારે છે. – ધૂમકેતુ

આજની આરસી

૨૦ ડિસેમ્બર શુક્રવાર ર૦૨૪
૧૭ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર વદ પાંચમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૦
ખત્મે ઝવાલ ૧૨-૩૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૫
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૮

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

અય તાઈર-એ-લાહૂૂતી ! ઉસ રીઝકસે મૌત અચ્છી,
જિસ રીઝકસે પરવાઝમેં આતી હો કોતાહી
તાઈર = અહીં શાહીન, કોતાહી = ક્ષીણ થવું
૧. શાહીન કદી કોઈના કરેલા શિકારને આરોગતું નથી. તેમ કરે તો તેની ઉડાનની તાકાત ક્ષીણ થઈ જાય.
૨. માનવીની રૂહ આ દુનિયામાં ઉદ્‌ભવી નથી, આપણે આલમ-એ-લાહૂતમાંથી છીએ અને ત્યાં જ પાછા જવાનું છે. હક અને હલાલની રોજીથી જીવન વિતાવો. હરામની રોજીથી તારા રૂહ, ખુદીને, આત્મા, સ્વને ચોંટ પહોંચે છે. હરામની રીઝક કરતાં મોત સારૂં. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Related posts
Religion

હદીસ બોધ

એ ઉચ્ચ પ્રકારની નેકી છે કે માનવી તેના…
Read more
Religion

હદીસ બોધ

હિસાબના દિવસે (ન્યાયના દિવસે)…
Read more
Religion

હદીસ બોધ

કિંમતના પ્રમાણે વજન કરો અને વજન નમતું…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.