
(એજન્સી) તા.૨૭
યુનાઇટેડ સ્ટેટ્સે અનુમાન લગાવ્યું છે કે, પ્રદેશમાં કબજેદારોના ચાલુ આક્રમણ અને નરસંહાર અભિયાન વચ્ચે ૨૦૨૩ના અંત સુધીમાં ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં લગભગ ૮૦,૦૦૦ પેલેસ્ટીનીઓને માર્યા અથવા ઘાયલ કર્યા છે. વિશ્વભરના માનવાધિકારોના રવિવારના દિવસે તેના વાર્ષિક મૂલ્યાંકન અહેવાલમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, પેલેસ્ટીની પ્રતિકાર જૂથ, હમાસ દ્વારા ઇઝરાયેલના કબજા હેઠળના પ્રદેશમાં હુમલાને પગલે, ગાઝા પર ઇઝરાયેલના લશ્કરી આક્રમણમાં ૨૧,૦૦૦થી વધુ પેલેસ્ટીનીઓ માર્યા ગયા અને વધુ ઘાયલ થયા. વર્ષ ૨૦૨૩ના અંત સુધીમાં ગાઝામાં ૫૬,૦૦૦થી વધુ, પેલેસ્ટીનીઓની બહુમતી સંખ્યા વિસ્થાપિત થઈ અને પરિણામે ગંભીર માનવતાવાદી કટોકટી સર્જાઈ. જ્યારે અહેવાલ સ્વીકારે છે કે, ઇઝરાયેલના દળોએ ગાઝામાં લગભગ ૮૦,૦૦૦ પેલેસ્ટીનીઓને માર્યા અથવા ઘાયલ કર્યા. ઘેરાયેલા પટ્ટીની વસ્તીની ૩ ટકા સંખ્યા ઇઝરાયેલના નરસંહાર અભિયાનના હસ્તે જાનહાનિના સતત વધારાથી ઘણી દૂર છે. માર્યા ગયેલા લોકોની સંખ્યા હવે ઓછામાં ઓછી ૩૪,૦૦૦ છે, તે કટોકટી અંગે યુએસનું પ્રમાણિક નિવેદન અપવાદરૂપ છે. પટ્ટીના ઘાયલોની સંખ્યા હવે લગભગ ૮૦,૦૦૦ જેટલી છે, તેમજ ગાઝામાં કુલ સંયુક્ત રીતે માર્યા ગયેલા અને ઘાયલોની સંખ્યા ઓછામાં ઓછી અંદાજિત ૧,૧૪,૦૦૦ પર પહોંચી ગઈ છે, જે પ્રદેશની વસ્તીના પાંચ ટકાથી વધુ છે. અહેવાલમાં જણાવ્યા મુજબ, ઈઝરાયેલે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર લશ્કરી કાર્યવાહી કરવી જોઈએ અને નાગરિકોની સુરક્ષા માટે દરેક સંભવિત સાવચેતી રાખવી જોઈએ. અમે મહિલાઓ, બાળકો, વિકલાંગ વ્યક્તિઓ અને અન્ય સંવેદનશીલ વ્યક્તિઓ સહિત ગાઝામાં હજારો પેલેસ્ટીની નાગરિકોના મૃત્યુ અને ઇજાઓની ચિંતાઓ તાકીદે રજૂ કરવાનું ચાલુ રાખીએ છીએ. તેમાં ઉમેર્યું હતું કે, વોશિંગ્ટન વારંવાર પેલેસ્ટીની નાગરિકોની માનવતાવાદી સહાયતાની પહોંચ, ગાઝાની મોટાભાગની વસ્તીના વિસ્થાપન અને માર્યા ગયેલા પત્રકારોની અભૂતપૂર્વ સંખ્યા વિશે ચિંતા વ્યક્ત કરે છે. સોમવારે એક પત્રકાર પરિષદમાં બોલતા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ, એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસ એવા અહેવાલોની સમીક્ષા કરે છે કે, ઇઝરાયેલે ગાઝા અને પશ્ચિમ કાંઠે યુદ્ધના આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને સમીક્ષાનો તે ભાગ તપાસ કરશે કે શું અમેરિકન હથિયારો સામેલ હતા. બ્લિંકને ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રક્રિયા ન્યાયી હશે પછી ભલે કોઈ દેશ વિરોધી હોય કે હરીફ હોય, મિત્ર હોય કે સાથી હોય.