National

ભારતીય વાયુદળે બાલાકોટ ઉપર હુમલો કર્યો એ પછી શ્રીનગરમાં વધુ ગભરાટ, નાગરિકોની પેટ્રોલ માટે લાઈનો

(એજન્સી) શ્રીનગર, તા.ર૬
બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદ ઉપર વાયુ દળના હુમલાના સમાચારો ફેલાતા શ્રીનગરના રહીશોમાં વધુ ગભરાટ ફેલાયો હતો. નાગરિકોએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સંઘરવી શરૂ કરી હતી અને પેટ્રોલ પંપ ઉપર લાઈનો આજે સવારથી જોવા મળતી હતી. જમ્મુ કાશ્મીર બોર્ડ ઓફ સ્કૂલમાં કાર્યરત ઝહૂર અહમદે રૈનાવારી પેટ્રોલ પંપ ઉપર જણાવ્યુું કે ૪૦ મિનિટથી અહીં પેટ્રોલ માટે ઊભો છું. જો કે હું કાર ઓછી વાપરૂં છું પણ અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે અગમચેતી રૂપે પેટ્રોલ પૂરાઈ રહ્યો છું કદાચ જરૂર પડે તો.
આજે સવારે જેકેએલએફ નેતા યાસિન મલિકના ઘરે એનઆઈએએ દરોડાઓ પાડતા ગભરાટમાં વધારો થયો હતો. શહેરમાં કર્ફ્યુ અથવા બંધનું એલાન ન હોવા છતાં રસ્તાઓ સૂમસામ હતા. ઘણી બધી દુકાનો અને બજારો બંધ હતા. ત્યાંના દુકાનદારો જણાવતા હતા કે ગત વર્ષના નવેમ્બર મહિનાથી અહીંની પરિસ્થિતિ કટોકટીભરી બની છે. જ્યારથી અનુચ્છેદ ૩પ-એને રદ કરવાની વાતો થઈ રહી છે. ધંધામાં પ૦ ટકા ઘટાડો થયો છે.
જો કે શ્રીનગરના નિવાસીઓ પોતાના કામ ઉપર જઈ રહ્યા છે પણ એમના મનમાં અનિશ્ચિતતા ઘર કરી ગઈ છે. મુનાવારાબાદના નિવાસી ઈમ્તિયાઝ હુસેને કહ્યું કે કોઈ સ્પષ્ટ કંઈ કહેતો નથી. અમને કહેવામાં આવે છે કે ૧૦ દિવસ માટેનું રાશન અને દવાઓનો સ્ટોક કરી લો. કારણ કે સતત કર્ફ્યુ લાગવાનો છે.
શ્રીનગરના નિવાસીઓ મીડિયા ઉપર નારાજ છે. એમની ફરિયાદ છે કે મીડિયા યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ હોવાની વાતો ફેલાવે છે. જે બળતામાં ઘી નાખે છે. અમે સામાન્ય થવા પ્રયાસો કરીએ છીએ પણ મીડિયા વધુ ગભરાટ અને ભય ફેલાવે છે.
કાર એસસરીઝની દુકાન ધરાવતા તાહિર અહમદે જણાવ્યું કે કાશ્મીરને ભડકે બાળવા મીડિયા જવાબદાર છે. એ કાશ્મીરીઓને રાષ્ટ્ર વિરોધી ચીતરીને વાતાવરણ દૂષિત કરે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.