National

બજેટ અંગે સરકારમાં જ અસહમતીના સૂર, રોકાણ પર અસર પડવાની આશંકા

(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
બજેટમાં ધનિકો પર વધુ સરચાર્જ લગાવવાના પ્રસ્તાવ પર કેન્દ્રનો એક વર્ગ જ સહમત નહીં હોવાનું લાગે છે. તેમનું એવું માનવું છે કે સરકારના આ પગલાથી નવા રોકાણકારો હતાશ થશે અને વધુ સંપત્તિવાળા લોકોનો ભારત છોડવાનો ટ્રેન્ડ વધુ વધી જશે. નોંધનીય છે કે બજેટનું ફોકસ એ વાત પર છે કે દેશમાં ધીમા પડતા રોકાણને ખાનગી ભાગીદારી દ્વારા વેગ આપવામાં આવે. જોકે, ધનિકો પર સરચાર્જના આ પ્રસ્તાવને તેનાથી વિપરીત પગલું માનવામાં આવે છે. એનડીએ સરકારના એક ટોચના નીતિ ઘડનારાએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે ધનિકો પર સરચાર્જની રોકાણ પર અત્યંત ખરાબ અસર થશે. સરકારના આ પગલાથી ‘યુનિકોર્ન’ એટલે એક અબજ ડોલરથી વધુ બજાર મૂલ્ય ધરાવતી ટેક સ્ટાર્ટઅપ કંપનીઓ હતોત્સાહિત થશે. તદ્‌ઉપરાંત દેશમાં ઉચ્ચ આવકવર્ગવાળા લોકોની સંખ્યા વધવા પર પણ ખરાબ અસર પડશે. જ્યારે સરકારને એવી આશા છે કે સુપર રિચ કેટેગરીના કરદાતાઓ પર સરચાર્જ લગાવીને ૧૨ હજાર કરોડ રૂપિયાની વધુ આવક થશે પરંતુ નિષ્ણાતોએ એવી ચેતવણી આપી છે કે રોકાણ પર તેની વિપરીત અસર થશે. નવા ટેક્સને કારણે ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટો દ્વારા થનારા રોકાણ પર માઠી અસર થશે. આ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટો દ્રારા વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાં રોકાણ કરે છે. નાણા પ્રધાન સંસદમાં નાણા બિલ પર જવાબ આપશે ત્યારે આ પ્રસ્તાવોમાં થોડાક ફેરફાર કરવામાં આવે તેની આશા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.