
આજકાલ સેલ્ફીનો ક્રેઝ વિશ્વભરમાં ચાલી રહ્યો છે ત્યારે આ ક્રેઝમાંથી મુસ્લિમો પણ ક્યાંથી બાકાત રહે ? એમાંયે ઈદ જેવો ખુશીનો પ્રસંગ હોય ત્યારે તો સેલ્ફી લેવાનો ઉત્સાહ બેવડાઈ જ જવાનો.
પ્રથમ તસવીર દેશની રાજધાની દિલ્હીની પ્રખ્યાત જામા મસ્જિદની છે જ્યાં મુસ્લિમ બિરાદરો ઈદની નમાઝ પઢ્યા બાદ નવા વસ્ત્રોમાં સજ્જ બાળકો સાથે સેલ્ફી લઈ રહ્યા છે. જ્યારે બીજી તસવીર કોલકાતાના રેડરોડની છે જ્યાં ઈદની નમાઝ બાદ એક મુસ્લિમ બિરાદર તિરંગા સાથે સેલ્ફી લઈ રહ્યો છે. એના ચહેરાના ગૌરવપૂર્ણ હાવભાવ ઘણું બધું કહી જાય છે.
Facebook
0
Twitter
0