પરાગનયનનું કૌશલ

બેતાબ હૈ ઝોક, આંધી કા
ખુલતા નહીં ભેદ ઝિંદગી કા
– અલ્લામા ઈકબાલ

પરાગનયન એ કુદરતની એક પ્રક્રિયા છે. જેમાં એક પુષ્પની પરાગરજ અન્ય ફૂલના પરાગકોષ સુધી સ્થાનાંતરિત કરવામાં આવે છે. મધમાખીઓ અને અન્ય કીટકો વિના પરાગનયનની પ્રક્રિયા પૂર્ણ થતી નથી. કીટકો ફૂલની મધ્ય સુધી જાય છે જ્યાં સ્થિત પરાગકોષમાંથી પરાગરજ લઈને બીજા પુષ્પના છત્ર પર જમા કરે છે. આ પ્રકારે પરાગનયનની પ્રક્રિયા પૂરી થાય છે. મધમાખી અને અન્ય કીટકો વિના આર્થિક રીતે મહત્ત્વ ધરાવતી અનેક ઉપજો બિનફળદ્રુપ રહી જાય છે અને પુનરુત્યાદન માટે અસમર્થન બને છે.
ફોટોગ્રાફર હીથર એન્જલે પરાગનયનની કળાને કેટલીક તસવીરોમાં કેદ કરી છે. જે અલ્લાહ સુબહાનહુ વ ત’આલાએ કુર્આનમાં વર્ણાવેલી હકીકતનું પ્રતિબિંબ પાડે છે.
એક સુંદર મજાના પુષ્પમાંથી પરાગરજ એકઠી કરીને ઉડવા માટે પોતાની પાંખો ફફડાવી રહેલ કીટકની આ અદ્‌ભૂત તસવીર પ્રથમ દર્શાવી છે જ્યારે બીજી તસવીરમાં કીટક પોતાના ચીકણાં પગમાં પરાગરજ ચોંટાડીને તેનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર સ્થળાંતર કરી રહ્યા હતા તે સમયે આ ‘ક્લિક’ કરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks