(એજન્સી) તા.૧૩
વર્ષો પહેલા સઉદી સરકાર દ્વારા વિશ્વના સૌથી ઊંચા જીદ્દાહ ટાવરની સ્થાપના અંગે વાત કરવામાં આવી હતી. જો કે પ્રિન્સ અલ-વાલિદ બિન તલાલે ગુરૂવારે જણાવ્યું કે ટાવરના કામકાજમાં વિલંબ થવાથી ૨૦૧૯ સુધીમાં તૈયાર થશે. દુબઈના બુર્જ ખલીફા કરતા ૧ કિમી વધુ ઊંચું બાંધવામાં આવશે.
હાલ પ્રોજેક્ટમાં વિલંબ થયો છે જો કે ૨૦૧૯માં ફરીવાર શરૂ કરશે. જીદ્દાહ આર્થિક કંપની સાથે સંકળાયેલી કિંગડમ હોલ્ડિંગ કંપનીના અલ-વાલિદ અધ્યક્ષ છે. સઉદી બિન-લાદીન સમૂહને આ ઈમારતના બાંધકામની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે ૨૦૧૪માં તેલના ભાવમાં ધરખમ ઘટાડો થતાં સઉદીનું અર્થતંત્ર ધરશાયી થઈ ગયું હતું.
૨૦૧૧માં સૌ-પ્રથમવાર જાહેરાત કરવામાં આવી હતી એ સમયે બાંધકામ ૩૬ મહિનામાં પૂર્ણ થશે તેવી વાત કરવામાં આવી હતી. નવેમ્બર ૨૦૧૬ સુધીમાં ચાર માળ પણ તૈયાર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કહેવામાં આવ્યંુ કે ૨૦૧૮ સુધીમાં બાંધકામ પુરું થઈ જશે ત્યારબાદ તેલના ભાવનો કડાકો બોલાતા નવેમ્બર ૨૦૧૫માં જીદ્દાહ આર્થિક કંપનીએ સઉદીની અલિનમા કંપની સાથે કરાર કરી ૨૬ માળ તૈયાર કરી દીધા હતા. હાલ ઈમારત ૩૦ માળ સુધી તૈયાર થઈ ગઈ છે. હાલ ૩૦માં માળેથી જીદ્દાહ અને આસપાસના દરિયા જોઈ શકાય છે.કિંગડમ હોલ્ડિંગે તેમના શેયર યુરો ડિઝની થીમ પાર્ક, એપલ, ન્યુઝ કોર્પોશન અને યુએસ સિટી જાયન્ટ સમૂહમાં રોકાણ કર્યું છે.