(એજન્સી) તા.૨૩
ઇઝરાયેલના પરિવહન પ્રધાન, મીરી રેગેવે, તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક પર પ્રતિબંધોની જાહેરાત કરી છે, કેમકે છેક ૨૮ ફેબ્રુઆરીથી ઇઝરાયલ પર ઇરાની મિસાઇલ હુમલાઓ ચાલુ છે.ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ અનુસાર, રવિવારે મોડી રાત્રે એક નિવેદનમાં, રેગેવે કહ્યું : “જીવન બચાવવા માટે, મેં ટેકઓફ અને લેન્ડિંગની સંખ્યા તેમજ બેન ગુરિયન એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં અસ્થાયી ધોરણે ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.”તેણીએ ઉમેર્યું : “કાલે સાંજે ૫ વાગ્યાથી (સોમવાર, ૧૫ઃ૦૦ GMT) શરૂ કરીને, દર કલાકે ફક્ત એક જ ફ્લાઇટ ચાલશે. વિમાન મુસાફરોની મર્યાદા વિના એક ઇનકમિંગ ફ્લાઇટના આધારે ચાલશે. ત્યારબાદ ૫૦થી વધુ મુસાફરોને લઈ જતી એક આઉટગોઇંગ ફ્લાઇટ ચાલશે.” અખબારે જણાવ્યું હતું કે આનો અર્થ એ છે કે બેન ગુરિયન એરપોર્ટથી ઉપડતી ફ્લાઇટ્સમાં મુસાફરોની સંખ્યા અગાઉની મર્યાદા ૧૨૦થી ઘટાડીને ૫૦ કરવામાં આવશે. અહેવાલ મુજબ, એક જ કલાકમાં બે ફ્લાઇટ્સ આવવા અને જવાને બદલે, દર કલાકે ફક્ત એક ફ્લાઇટને ઉડાન ભરવાની અને પછીના કલાકમાં એક ફ્લાઇટને ઉતરવાની મંજૂરી આપવામાં આવશે. છેલ્લા બે દિવસમાં મધ્ય અને દક્ષિણ ઇઝરાયેલ પર ઇરાની બેલિસ્ટિક મિસાઇલો દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ડઝનેક લોકો ઘાયલ થયા છે.