National

ઉત્તરપ્રદેશ : બાંગ્લાદેશના સત્તાપલટાને પગલે નિકાસ ખોરવાઈ, ટ્રકો અટવાઈ અને રૂા.૭૦૦ કરોડની ચૂકવણીઓ અટકી પડી

બાંગ્લાદેશમાં તાજેતરના બળવાને કારણે ઉત્તરપ્રદેશની ૧૪૦થી વધુ પ્રોડક્ટ્‌સ જેમાં ચોખા, કૃષિ ઉત્પાદનો, સાધન-સામગ્રી, ચામડાની ચીજ-વસ્તુઓ, એડહેસિવ્સ, એન્જિનિયરિંગ સામાન અને ઈ-રિક્ષા સહિતની વસ્તુઓ કે જેની યુપીમાંથી નિકાસ કરવામાં આવે છે તે સંબંધી ઉત્તરપ્રદેશની વ્યાપારી પ્રવૃત્તિઓ પર નોંધપાત્ર અસર પડી છે અને તેમાં ગંભીર વિક્ષેપ સર્જાયો છે

(એજન્સી) લખનૌ, તા.૮
બાંગ્લાદેશમાં તાજેતરના બળવાને કારણે ઉત્તરપ્રદેશની ૧૪૦થી વધુ પ્રોડક્ટ્‌સ જેમાં ચોખા, કૃષિ ઉત્પાદનો, સાધનસામગ્રી, ચામડાની ચીજવસ્તુઓ, એડહેસિવ્સ, એન્જિનિયરિંગ સામાન અને ઈ-રિક્ષા સહિતની વસ્તુઓ કે જેની યુપીમાંથી નિકાસ કરવામાં આવે છે તે સંબંધી ઉત્તરપ્રદેશની વ્યાપારી પ્રવૃતિઓ પર નોંધપાત્ર અસર પડી છે અને તેમાં ગંભીર વિક્ષેપ સર્જાયો છે. ચાલી રહેલી હિંસાને પગલે અંદાજે રૂા.૭૦૦ કરોડની ચૂકવણી અટકી પડી છે અને ઓર્ડરથી ભરેલી મોટી સંખ્યામાં ટ્રકો હાલમાં સરહદ પર અટવાઈ ગઈ છે. યુપીના ૪૦થી વધુ ઉદ્યોગપતિઓએ બાંગ્લાદેશમાં વિસ્તરણ એકમોની સ્થાપના કરી છે, જે મુખ્યત્વે ચામડા અને કાપડ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સ્થાનિક ઉદ્યોગસાહસિકોના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ ભયાનક છે અને તે અનિશ્ચિત છે કે ક્યારે સ્થિતિ સામાન્ય થશે. સાવચેતીના ભાગ રૂપે, કર્મચારીઓ સલામતી સુનિશ્ચિત કરવા માટે વ્યાપારી એકમોની અંદર રહી રહ્યા છે. બાંગ્લાદેશ ઉત્તર પ્રદેશ માટે મહત્ત્વપૂર્ણ બજાર તરીકે સેવા આપે છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના યુપી ચેપ્ટર અહેવાલ આપે છે કે યુપી અને બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર રૂા.૨,૫૦૦ કરોડથી વધુ છે. યુપીથી બાંગ્લાદેશમાં મુખ્ય નિકાસમાં ચોખા, ચામડા અને એન્જિનિયરિંગ માલ, એડહેસિવ ટેપ, પોલી ફિલ્મ, સોડા એશ, ઈ-રિક્ષા અને ટેક્ષટાઈલ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. વધુમાં, ભારતથી બાંગ્લાદેશમાં ૬,૦૦૦થી વધુ ચીજવસ્તુઓની નિકાસ કરવામાં આવે છે, જેમાં યુપીમાંથી મર્યાદિત માત્રામાં કપડાં, મસાલા અને ખાદ્ય તેલનો સમાવેશ થાય છે. હિંસાને કારણે નિકાસ અટકી ગઈ છે, જેના કારણે નિકાસકારોને ચૂકવણી સ્થગિત કરવામાં આવી છે. સોના મસ્જિદ, બેનાપોલ અને પેટ્રા પોલ સરહદો દ્વારા મુખ્યત્વે સડક દ્વારા વહન કરવામાં આવતા શિપમેન્ટ્‌સ હાલમાં સરહદ પાર કરવામાં અસમર્થતાને કારણે ભારતીય બાજુએ અટવાયેલા છે. જેકે સિમેન્ટના સીઈઓ માધવ સિંઘાનિયાએ ભારતના કારોબાર પર સંભવિત અસર પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં બળવાથી ભારતના વેપારને અસર થશે, પરંતુ કેટલી હદે અસર પહોંચસએ તે જાણવા માટે આપણે થોડી રાહ જોવી પડશે. ખાસ કરીને પાડોશી દેશ માટે કે જેણે કાપડ અને ચામડાના ક્ષેત્રમાં ઝડપી પ્રગતિ કરી છે તેના માટે રાજકીય સ્થિરતા અને શાંતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, રેડ ટેપના ડિરેક્ટર શુજા મિર્ઝાએ કાપડ ઉદ્યોગમાં બાંગ્લાદેશની મજબૂત હાજરી પર ભાર મૂકતા નોંધ્યું છે કે રાજકીય અસ્થિરતા અનિવાર્યપણે વ્યવસાયને અસર કરશે. મિર્ઝાએ કહ્યું કે, ‘ભારત સહિત વિશ્વભરની ટેક્ષટાઇલ કંપનીઓ બાંગ્લાદેશમાં કામ કરે છે. રાજકીય અસ્થિરતાની અસર બિઝનેસ પર દેખાશે,’. બાંગ્લાદેશમાં તેમનું ટેક્ષટાઇલ યુનિટ, રૂા.૧,૦૦૦ કરોડથી વધુના ઉત્પાદનો સાથે સુરક્ષિત છે. ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ૈૈંંછ)ના રાષ્ટ્રીય પ્રમુખ નીરજ સિંઘલે અહેવાલ આપ્યો હતો કે કૃષિ ઉત્પાદનો અને સાધનોની સાથે ગાઝિયાબાદ અને નોઇડાથી બાંગ્લાદેશમાં કાપડ ક્ષેત્રના ઉત્પાદનોનો નોંધપાત્ર જથ્થો નિકાસ કરવામાં આવે છે. સિંઘલે જણાવ્યું હતું કે, ‘વર્તમાન પરિસ્થિતિને કારણે વેપાર અટકી ગયો છે. ચૂકવણી અટકી ગઈ છે. બોર્ડર પર ઓર્ડર અટવાયેલા છે આમ કહી તેમણે વિવિધ ક્ષેત્રો પર બળવાની વ્યાપક અસરને રેખાંકિત કરી હતી.

Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.