મહારાષ્ટ્રમાં શાળાના મુસ્લિમ યુવકોને મરાઠા પુરૂષોએ થાંભલા સાથે બાંધીદીધા અને માર માર્યો, લાતુર પોલીસે પીડિતો સામે FIR દાખલ કરી

યુવકના પિતાએ કહ્યું કે, ‘અમે તે બદમાશોને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તેઓ અમારી તરફ વળ્યા અને અમારી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા, અમને એટલો ડર હતો કે, તેઓ અમારા બાળકોને મારી નાખશે અને અમે કંઈ કરી શક્યા નહીં’

(એજન્સી) તા.૧૫
એક શાળાના ત્રણ છોકરાઓ જે ૧૩થી ૧૫ વર્ષ વચ્ચેના હતા તેઓને એક થાંભલા સાથે બાંધી અને એક પુરૂષોના જૂથ દ્વારા તેઓને નિર્દયતાથી માર મારતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો ૧૦ જુલાઈના રોજ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના રેનાપુર તાલુકાના ખરોલા ગામમાં હુમલાખોરોના ફોન પર શૂટ કરવામાં આવ્યો હતો. આ હુમલાખોરો બધા એક જ ગામના મરાઠા પુરૂષો હતા અને આ ત્રણ પીડિતો શાળાએ જતા મુસ્લિમ યુવકો હતા. વીડિયોમાં આ મામલો સ્પષ્ટ દેખાતો હોવા છતાં અને હુમલાખોરોએ આખરે છોકરાઓને છોડ્યા તે પહેલાં પોલીસે દરમિયાનગીરી કરવી પડી હોવા છતાં અધિકારીઓએ અપરાધીઓને બદલે પીડિતો સામે કેસ દાખલ કર્યો છે. જાહેર દબાણ વધ્યા પછી જ મરાઠા પુરૂષો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. એક છોકરાના પિતા કે જેઓ આ કેસમાં સાક્ષી પણ છે, તેમણે ધ વાયરને જણાવ્યું હતું કે, તેમના પુત્ર અને તેના મિત્રોને બાંધીને મારવામાં આવ્યા હોવાની જાણ થતાં જ તેઓ અન્ય બે બાળકોના માતા-પિતા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અમે તે પુરૂષોને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તેઓ અમારી તરફ વળ્યા અને અમારી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા. અમને એટલો ડર હતો કે, તેઓ અમારા બાળકોને મારી નાખશે અને અમે કંઈ કરી શક્યા નહીં. તેમની વિનંતી કર્યા પછી અમે સાત કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન દોડી ગયા. પોલીસ તરત જ સ્થળ પર પહોંચી હતી. પિતાનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે, કારણ કે, તમામ બાળકો સગીર છે. હુમલાખોરોએ આરોપ લગાવ્યો હતો કે, છોકરાઓએ તેમના ખેતરમાંથી ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરી હતી. પોલીસે પુષ્ટિ આપી હતી કે, તેઓને આ હિંસાની જાણ કરવામાં આવી હતી અને તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં અધિકારીઓએ છોકરાઓને ટોળામાંથી બહાર કાઢ્યા હતા પરંતુ ઘટનાસ્થળે પહોંચ્યા અને ગુનાની જાતે સાક્ષી હોવા છતાં પોલીસ તરત જ આ શખ્સો સામે હ્લૈંઇ દાખલ કરવામાં નિષ્ફળ રહી છે. નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) રાજેન્દ્ર માયણેએ જણાવ્યું હતું કે, FIRમાં વિલંબ થયો છે કારણ કે, અધિકારીઓ તથ્યો ચકાસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઘટના બપોરના સુમારે બની હતી. બાળકોના માતા-પિતાએ ધ વાયરને જણાવ્યું કે, તેઓ છોકરાઓને હોસ્પિટલ લઈ ગયા. તેમને બેલ્ટ, વાયર અને પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. તેમના શરીર સંપૂર્ણ રીતે ઉઝરડા હતા. હોસ્પિટલમાં માતા-પિતા તેમના બાળકો સાથે હતા ત્યારે એક આરોપીએ તેના મિત્રો વચ્ચે મારપીટનો વીડિયો શેર કર્યો હતો. થોડા જ કલાકોમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવ્યો હતો. લગભગ ૧૦ વાગ્યાની આસપાસ કથિત મુખ્ય આરોપીઓમાંના એક સચિન રાઉતરાવે ત્રણેય છોકરાઓ વિરુદ્ધ FIR નોંધાવી. માયાને પુષ્ટિ આપી હતી કે, રાઉતરાવ ફરિયાદ નોંધવા પોલીસ સ્ટેશન આવ્યા હતા. રાઉતરાવની ફરિયાદ નોંધાયા બાદ જ પોલીસે પીડિતાના માતા-પિતામાંથી એકની ફરિયાદ લીધી હતી. રાઉતરાવની ફરિયાદમાં એવો ઉલ્લેખ નથી કે તેણે અન્ય લોકો સાથે મળીને છોકરાઓને બાંધીને માર માર્યો હતો. માયાને કહે છે કે, FIRનો સમય અસંગત છે પરંતુ તેની નોંધણીમાં વિલંબથી રાઉતરાવને ધરપકડ ટાળવામાં મદદ મળી હશે. રાઉતરાવ અને અન્ય આરોપી વ્યક્તિ નીતિન શિંદે તેમની સામે એફઆઈઆર નોંધાતાની સાથે જ ગુમ થઈ ગયા હતા. મરાઠા માણસો સામે ગુનો નોંધાયા અને એફઆઈઆર નોંધાયાને ૧૦ કલાકથી વધુ સમય વીતી ગયો હતો. શરૂઆતમાં પોલીસે એક પીડિતાના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં માત્ર બે લોકોના નામ આપ્યા હતા. વધુ છ નામો, સંતોષ રાઉતરાવ, બેબલી કાલે, દત્તા જાધવ, બાલુ સૂર્યવંશી, ગણેશ ભોપી અને દશરથ ભોપીને પાછળથી ઉમેરવામાં આવ્યા હતા. જ્યારે રાઉતરાવ અને શિંદે ફરાર છે, અન્ય છને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને બે દિવસ પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ખારોલા ગામમાં ૧૫૦૦થી વધુ ઘરોની મિશ્ર વસ્તી છે, જેમાં ૩૦૦થી વધુ મુસ્લિમ પરિવારો અને ૫૦૦થી વધુ મરાઠા સમુદાયના છે. બાકીના ઘરો અન્ય પછાત વર્ગો (OBC) અને અનુસૂચિત જાતિના પરિવારોના છે. ગામના મોટાભાગના મુસ્લિમો, મોટાભાગે OBC સમુદાયના, ભૂમિહીન છે અને તેમની આજીવિકા માટે ઉચ્ચ જાતિના મરાઠાઓ પર નિર્ભર છે. તેઓ મોટે ભાગે ગામમાં મરાઠાઓના ખેતરોમાં મજૂરી કરે છે. જો કે, માયાણે દાવો કર્યો હતો કે, હુમલામાં કોઈ સાંપ્રદાયિક મુદ્દો નથી, છોકરાઓના માતા-પિતા કહે છે કે, હુમલા દરમિયાન આરોપીઓએ તેમના પર જાતિવાદી અને સાંપ્રદાયિક અપશબ્દો કહ્યા હતા. એક માતા-પિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પોલીસે તેમને કેસના સંદર્ભમાં તેમની મુસ્લિમ ઓળખ સામે ચેતવણી આપી હતી. DSP માયાણે ધ વાયર સાથે વાત કરતા કહ્યું કે, હ્લૈંઇનો ક્રમ અહીં અપ્રસ્તુત છે. જો કે, અમને છોકરાઓ સામે ચોરીની ફરિયાદ મળી હતી, અમે તેમની સામે કોઈ કાર્યવાહી શરૂ કરી નથી. પરંતુ મહારાષ્ટ્ર એક્ટિવિસ્ટ ફોરમના કન્વીનર, અધિકાર કાર્યકર્તા જુનેદ અતરે પ્રશ્ન કર્યો કે જો આરોપીઓ એક જ સમુદાયના હોત તો શું તેઓએ છોકરાઓને સ્પર્શ કર્યો હોત. આ મુસ્લિમ છોકરાઓ છે અને તેમના માતા-પિતા લડી શકશે નહીં, આ હકીકતથી આરોપીઓને હિંમત મળી હતી. અન્ય સ્થાનિક કાર્યકરો સાથે મળીને પીડિતોના માતા-પિતાને કેસ કાયદેસર રીતે ચલાવવામાં મદદ કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts