પ્રાથમિક તપાસ બાદ જિલ્લા વહીવટીતંત્રે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવ્યા હોવાનું કહીને બે મકાનો સીલ કર્યા
(એજન્સી) મુઝફ્ફરનગર, તા.૨૬
શહેરની જનકપુરી કોલોનીમાં બુધવારે હિન્દુ સંઘર્ષ સમિતિના સભ્યોએ મુસ્લિમ પરિવારો દ્વારા તાજેતરમાં ખરીદવામાં આવેલા મકાનોનો વિરોધ કરતા વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. વિરોધ કરી રહેલા સંગઠનનો દાવો છે કે આ પ્રકારની મકાન વેચાણની પ્રવૃત્તિઓથી વિસ્તારની વસ્તીવિષયક પ્રોફાઇલ (ડેમોગ્રાફી)માં મોટા પાયે ફેરફાર થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, હિન્દુ સંઘર્ષ સમિતિના સભ્યો વિસ્તારના કેટલાક મકાનો બહાર એકઠા થયા હતા અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ શાંતિ જાળવી રાખવા માટે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે આ મુખ્યત્વે હિન્દુ વસ્તી ધરાવતી કોલોનીમાં આશરે છ મકાનો મુસ્લિમ પરિવારો દ્વારા ખરીદવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે આમાંથી ચાર મકાનો મૂળરૂપે યોગ્ય લાભાર્થીઓ માટેની સરકારી આવાસ યોજના ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ (ઁસ્છરૂ) હેઠળ બનાવવામાં આવ્યા હતા. પ્રાથમિક સમીક્ષા બાદ, જિલ્લા વહીવટીતંત્રે ઁસ્છરૂ યોજના હેઠળ બનેલા હોવાનું જણાઈ આવતા બે મકાનોને સીલ કરી દીધા છે. જ્યારે બાકીના મકાનોની સ્થિતિ અને દસ્તાવેજોની ચકાસણી ચાલુ હોવાથી રહેવાસીઓને મકાન ખાલી કરવા જણાવવામાં આવ્યું છે. હિન્દુ સંઘર્ષ સમિતિએ દાવો કર્યો છે કે આ ખરીદી વિસ્તારની ડેમોગ્રાફિક રચના બદલવાના એક સુનિયોજિત પ્રયાસનો ભાગ છે. જૂથના સભ્યોએ એવી પણ જાહેરાત કરી છે કે જ્યાં સુધી મુસ્લિમ પરિવારો અહીંથી સ્થળાંતર નહીં કરે ત્યાં સુધી તેઓ કોલોનીમાં દર અઠવાડિયે હનુમાન ચાલીસાના પાઠ ચાલુ રાખશે. સામે પક્ષે, પ્રભાવિત પરિવારોએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓએ કાયદેસર રીતે વ્યવહાર કરીને આ મકાનો ખરીદ્યા છે અને આ મકાનો ઁસ્છરૂ યોજના સાથે જોડાયેલા હતા તેની તેમને કોઈ જાણ નહોતી. એક મકાનમાલિકે દાવો કર્યો હતો કે તેમણે મકાન માટે રૂા.૨૩.૨૫ લાખ ચૂકવ્યા હતા અને વેચાણ સમયે કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નહોતો, તેમજ વેચનારે પણ આ મકાન સરકારી કાર્યક્રમ હેઠળ બનેલું છે તેની માહિતી આપી નહોતી. પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલો હાલ વહીવટી સમીક્ષા હેઠળ છે. અધિકારીઓ મિલકતની આપ-લે સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છે અને આગળની કાર્યવાહી ચાલી રહેલી તપાસના નિષ્કર્ષના આધારે કરવામાં આવશે. આ ઘટનાને પગલે વિસ્તારમાં મિલકતના માલિકી હક્ક અંગે તણાવ વધ્યો છે, પરંતુ સત્તાવાળાઓએ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સ્થાનિકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.