લવ જેહાદ કે ખિલાફ… ગાઝિયાબાદના હિન્દુત્વ નેતાની ખુલ્લી ધમકી

 

ખોડા મકનપુર પોલીસ સ્ટેશન કે ગાઝિયાબાદ પોલીસ કમિશનરેટને આ વીડિયો વિશે કોઈ જાણકારી નથી !!!

 

(એજન્સી) લખનૌ, તા.૫
“હાંજી જેહાદીઓ, અબ્બુ આ ગયે (જેહાદીઓ, તમારા પપ્પા આવી ગયા છે),” અતિ-જમણેરી નેતા સોનુ શર્માએ કહ્યું.
તે પિંકી ભૈયાના નેતૃત્વ હેઠળના હિન્દુ રક્ષા દળનો સભ્ય છે. તેણે “લવ જેહાદ”માં કથિત રીતે રોકાયેલા મુસ્લિમ પુરૂષો પર હિંસક હુમલાઓનું આહ્‌વાન કર્યું હતું.ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના ખોડાના રહેવાસી, તેણે એક સોશિયલ મીડિયા વીડિયો બહાર પાડ્યો છે, જેમાં હિન્દુ ભાઈઓને “લવ જેહાદ” સામે લડવા અને “જરૂર પડે તો ખોપરી તોડી નાખવા” માટે હાકલ કરી છે.બીજા હિન્દુત્વ સમર્થક, કૃષ્ણા ઠાકુરને પોતાનો ટેકો વ્યક્ત કરતા, જેમાં વારંવાર એક યુવાન મુસ્લિમ વ્યક્તિને થપ્પડ મારવાના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા.“લગાતર હમ લવ જેહાદ કી કમર થોડને કા કામ કર રહે હૈં પર યે જેહાદી માન નહીં રહે. ક્યોંકી યે લોગ યોગી આદિત્યનાથ કા કાનૂન માન નહીં રહે, બસ શરિયા માનતે હૈ. (આ મુસ્લિમો માત્ર શરિયા કાયદાનું પાલન કરે છે, રાજ્યના કાયદો અને વ્યવસ્થાનું નહીં)શર્મા એમ પણ કહે છે કે તેમની પાસે મુસ્લિમો સામેની લડાઈ ચાલુ રાખવા માટે પૂરતા પૈસા છે, એક સારી રીતે ભંડોળ પૂરૂં પાડવામાં આવેલ નેટવર્ક સૂચવે છે. “હમ સનાતન ધર્મ કો બચને કા કામ કરતે હૈ. ઇન સુવારો સે બચો (અમે સનાતન ધર્મનું રક્ષણ કરીએ છીએ. આ ભૂંડોથી પોતાને બચાવો)” ખોડા મકનપુર પોલીસ સ્ટેશન કે ગાઝિયાબાદ પોલીસ કમિશનરેટને આ વીડિયો વિશે કોઈ જાણકારી નથી.“લવ જેહાદ”એ જમણેરી હિંદુત્વ જૂથો દ્વારા પ્રમોટ કરાયેલ ઇસ્લામોફોબિક ષડયંત્ર સિદ્ધાંત છે જે દાવો કરે છે કે મુસ્લિમ પુરૂષો “વ્યૂહાત્મક રીતે” હિંદુ મહિલાઓને લલચાવવા, છેતરવા અને તેમને લગ્ન કરવા અને ઇસ્લામમાં રૂપાંતરિત કરવા દબાણ કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts