શું સિરાજ બુમરાહની ખોટ પૂરી કરી શકશે? મુરલી કાર્તિકે આપ્યો પોતાનો મત

જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજ ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણની આગેવાની કરવા માટે સજ્જ

ગેલ, તા.૧૪
શ્રીલંકા સામે ૧૫ ઓગસ્ટથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચોની શ્રેણી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે. ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ડાબા ઘૂંટણની ઈજામાંથી પૂરી રીતે ન ઊભરી શકવાને કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહની ગેરહાજરીથી બોલિંગ આક્રમણમાં પડેલી ખોટને પૂરવા માટે હવે અનુભવી બોલર મોહમ્મદ સિરાજ પર મુખ્ય જવાબદારી આવી પડી છે. પૂર્વ ભારતીય સ્પિનર મુરલી કાર્તિકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, બુમરાહની ગેરહાજરીમાં સિરાજે જ ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરવું પડશે. સિરાજનો અનુભવ અને રેડ-બોલ ક્રિકેટમાં તેની ક્ષમતા આ પરિસ્થિતિમાં ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થશે. શ્રીલંકામાં ગરમી અને ભેજવાળા હવામાનને કારણે બોલરો પર શારીરિક બોજ વધુ રહેશે. કાર્તિકના જણાવ્યા મુજબ, વૉર્મ-અપ મેચ દરમિયાન સિરાજ ધીમે-ધીમે પોતાની લય મેળવી રહ્યો હતો અને હવે મુખ્ય મેચોમાં તેણે સંપૂર્ણ ક્ષમતા સાથે બોલિંગ કરવી પડશે. સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ મુખ્ય ભૂમિકા ભજવશે ફાસ્ટ બોલિંગ ઉપરાંત મુરલી કાર્તિકે ભારતીય સ્પિન વિભાગ વિશે પણ મહત્વની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે આ શ્રેણીમાં ડાબોડી રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવ ટીમ માટે સૌથી મહત્વનો ખેલાડી સાબિત થઈ શકે છે. રવિન્દ્ર જાડેજા પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં હોવાનું જણાવતા કાર્તિકે કહ્યું કે, આ શ્રેણી ભારતીય સ્પિન બોલિંગમાં આગામી પેઢીને ‘જવાબદારી સોંપવાની’ (Passing of the baton) શરૂઆત બની શકે છે. જાડેજાએ ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે કુલદીપ યાદવ સ્પિન વિભાગના મુખ્ય બોલર તરીકે આગળ આવે. આગામી ટેસ્ટ શ્રેણીમાં બુમરાહ વિના રમવું ભારત માટે મોટો પડકાર રહેશે, પરંતુ કાર્તિકના મતે આ પરિવર્તનના સમયમાં સિરાજ અને કુલદીપ જેવા ખેલાડીઓ માટે નવા મેચ-વિનર તરીકે ઉભરી આવવાની આ શ્રેષ્ઠ તક છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks