National

નાણામંત્રીની ભારતની ‘વિકાસના વૈશ્વિક એન્જિન’ તરીકે ઉભરવાની આશા વાસ્તવિક કરતાં આભાસી વધુ લાગે છે

                                                                             પ્રતીકાત્મક તસવીર

લગભગ દરેક જણ હવે સ્વીકારે છે કે કોવિડ-૧૯એ પહેલેથી જ ભાંગી પડેલી અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી છે. આ કટોકટીએ કેન્દ્ર સરકારની સંપૂર્ણ નિષ્ફળતા અને છેલ્લા પાંચ વર્ષમાં તેના આર્થિક સંચાલન ઉપર તીવ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નાટકીય અને વિક્ષેપજનક ક્રિયાઓ દ્વારા, પહેલા નોટબંદીની ઘોષણા કરીને, પછી બિનઆયોજિત ય્જી્‌ શાસન લાદવા અને અને હવે કોવિડ લોકડાઉન દ્વારા ગેરવહીવટ કરીને, ભારત સરકારે છેલ્લા ૪૦ વર્ષમાં પ્રથમ વખત ભારતીય અર્થવ્યવસ્થાને તકનીકી મંદીમાં લાવી દીધી છે.
સ્થાનિક સંજોગોને આધારે ક્યારે, ક્યાં અને કેવી રીતે લોકડાઉન થવું જોઈએ તે નિર્ધારિત કરીને રાજ્ય સરકારો દ્વારા કેન્દ્ર સરકારને કોવિડનું સંચાલન કરવાની મંજૂરી આપવાની સતત અપીલ કરવા છતાં, ભારત સરકારે લગભગ બે મહિના પહેલા સુધી કોવિડ મેનેજમેન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાનું ચાલુ રાખ્યું હતું. પરિણામે, કામદારોનું પ્રચંડ સ્થળાંતર જોવા મળ્યું, લોકડાઉનને કારણે કારખાનાઓ બંધ થઈ ગયા, લાખો સ્થળાંતર કામદારોને આવકની ખોટ, ખોરાકની અછત અને તેમના ભવિષ્ય વિશેની અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો હતો. તેમાંના હજારો પરિવહનના કોઈ સાધન વિના ઘરે પાછા વળ્યા હતા. ઘણા દશકોમાં જોવા ના મળી હોય તેવી બેરોજગારી જોવા મળી છે.
વર્ષ ૨૦૨૦-૨૧ માટે, આર્થિક દૃષ્ટિકોણ ખૂબ જ ભયાનક છે. હવે સંપૂર્ણ એકમતતા છે કે આ વર્ષે અર્થતંત્ર ૮-૧૦% જેટલું નીચું જશે. ત્રણ સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થયા પછી, ધ ઇકોનોમિસ્ટ મેગેઝીનના સાપ્તાહિક ક્રમમાં ભારત હવે ૨૩મા ક્રમે છે. એવું નથી કે ભૂતકાળમાં દેશમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો નથી. આર્થિક મંદીની અણી પરથી પાછા લાવીને ડો. મનમોહનસિંઘે નાણાંપ્રધાન તરીકે, મોટા ફેરફારો કર્યા અને ૧૯૯૧માં અર્થતંત્રના તમામ ક્ષેત્રોને ઉદાર બનાવ્યા. કેન્દ્ર સરકાર તરફથી સમાન પ્રકારના મજબૂત પ્રતિસાદની અપેક્ષા હતી.
યોગ્ય નીતિનાં સાધનોનો ઉપયોગ કરવામાં કેન્દ્ર સરકારને મદદ કરવા માટે, વિવિધ રાજ્ય સરકારોએ તેમની ભલામણો શરૂઆતમાં મોકલી હતી. આમાંથી કોઈ પણ પગલાં અપનાવવામાં આવ્યા ન હતા અને પરિણામો સામે છે.
તે સમયે જ્યારે માંગ ખતમ ગઈ છે, આત્મનિર્ભર પેકેજ એ આશાથી આપવામાં આવ્યું હતું કે નવા ધંધા શરૂ કરવા અને જૂના ધંધા ફરીથી ચાલુ કરવા ઘણા બધા લોન લેનારાઓ સિસ્ટમમાં વિશાળ પ્રવાહિતા લાવશે. નીતિ નિર્માતાઓએ જે નજરઅંદાજ કર્યું તે તદ્દન વાસ્તવિકતા હતી કે જ્યારે વ્યવસાયો તેમના હાલના દેવાને ચુકવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે, અને નજીકના સમયમાં કોઈ વાસ્તવિક વળતરની આશા નથી, તો તેઓ શા માટે નવું દેવું લેશે ? આત્મનિર્ભર પેકેજ એ સરકાર દ્વારા કબૂલાત છે કે દરેકે પોતાની સંભાળ લેવી જોઇએ, સરકાર હવે કાંઈ કરી શકતી નથી. નાણાં પ્રધાને તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે ભારતે રોગચાળા પછી વર્ચુઅલ રીતે બજેટ બનાવ્યું જે છેલ્લા ૧૦૦ વર્ષમાં ક્યારેય જોયું નહી હોય અને દેશ વૈશ્વિક વિકાસનું એન્જિન બનશે. અમે આશા રાખીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે બજેટ ફક્ત વર્ચુઅલ ન રહે. અનુમાનિત -૧૦.૫%ના વૃદ્ધિદરને જોતાં, વૈશ્વિક વિકાસનું એન્જિન બનવું ઓછું વાસ્તવિક અને વધુ ‘આભાસી’ લાગે છે.
– અરવિંદ માયારામ
(લેખક પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ છે)
(સૌ. : નેશનલ હેરાલ્ડ)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.