National

‘મિસ્ટર ૫૬’એ મહિનાઓથી ચીનનું નામ લીધું નથી : PM મોદીને રાહુલ ગાંધીનું મ્હેણું

જો મોદીએ સામાજિક સદ્દભાવના અને ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવાનું કામ કર્યું હોત તો ચીનની આપણી જમીન પર ઘૂસણખોરી કરવાની હિંમત ન થતી : કોંગ્રેસના નેતા

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
ચીન સાથે ચાલી રહેલા વિવાદ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રને કમજોર કરનારી નીતિઓ લાગુ કરી રહી છે. જેના પગલે ચીનને ભારતની જમીન કબ્જે કરવાનો અને ભારતની ધરતી પર ધૂસણખોરી કરવાની તક મળી ગઈ છે. રાહુલે ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, ચીન ભારતીય જમીનમાં પોતાની હાજરીનો વ્યાપ વધારી રહ્યું છે. ‘મિસ્ટર ૫૬’એ મહિનાઓ થવા છતાં હજુ ચીનનું નામ લીધું નથી. તેઓ ઓછામાં ઓછું ચીન શબ્દ પ્રયોગ કરી આ અંગે શરૂઆત કરી શકે છે. કોંગ્રેસના નેતાએ તમિલનાડુની એક સભાનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. જેમાં તેઓ લઘુ અને મધ્યમ વ્યવસાયીઓ સાથે વાત કરી રહ્યાં છે. આ સભામાં તેમણે ચીન સાથેના વિવાદના ઉકેલ અંગે સૂચનો કર્યા હતા. મજબૂત અર્થતંત્ર, રોજગારી અને સામાજિક સદ્‌ભાવના ભારતને મજબૂત રાખનારા પરિબળો છે. મિસ્ટર મોદીએ પોતાના ધનિક મિત્રોની મદદ કરવાના બદલે ખેડૂતો, મજદૂરો અને અન્ય ક્ષેત્રના લોકોને મદદ કરી હોત તો ચીન પાસે એટલી હિંમત ન આવતી કે, તે આપણી જમીન પર ધૂસણખોરી કરી શકત. રાહુલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સિક્કિમમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે નજીવી અથડામણ થયાના અહેવાલો સામે આવ્યા છે. સેનાએ જણાવ્યું હતું કે, આ અથડામણ ગત સપ્તાહે થઈ હતી. અત્રે ઉલ્લેેખનિય છે કે, સીમા વિવાદ અંગે બન્ને દેશો વચ્ચે રવિવારે જ વાતચીત થઈ હતી. આ મંત્રણા ૧૫ કલાક સુધી ચાલી હતી. પણ આ બેઠક દરમ્યાન શું ચર્ચા થઈ તે અંગે કોઈ વિગત જાણી શકાઈ નથી.

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.