National

૮ર ટકા લોકોનું માનવું છે કે ‘આપ’ કે કોંગ્રેસ નહીં પણ ભાજપે સર્જિકલ સ્ટ્રાઈકસને રાજકીય રંગ આપ્યો છે

(એજન્સી)                        નવી દિલ્હી, તા.૮

ઓન લાઈન પોલમાં ભાગ લેનાર ૮ર ટકા લોકો જણાવ્યું છે કે ર૯ સપ્ટેમ્બરે એલઓસી પર હાથ ધરવામાં આવેલા સર્જિકલ હુમલાને રાજકીય રંગ આપવા બદલ ભાજપ જવાબદાર છે.

જનતાકા રિપોર્ટ.કોમ દ્વારા હાથ ધરવામાં આવેલી ઓન લાઈન પોલ પાછળનો હેતુ જે વાસ્તવમાં લશ્કરી કવાયત હતી તેને રાજકીય રંગ આપવાના  રાજકીય પક્ષોના પ્રયાસ પર છેડાયેલા વિવાદ પર લોકોનો અભિપ્રાય મેળવવાનો હતો. આ ઓનલાઈનમાં ર૬૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ પોલ વેબસાઈટ પર ર૪ કલાક ચાલુ રહી હતી. ર૧૮ર લોકોનું (૮ર ટકા) માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરની તસવીરો ધરાવતા પોસ્ટરો ચિપકાવવાના ભાજપના નિર્ણય પરથી નિર્દેશ મળે છે કે ભાજપ સર્જિકલ સ્ટ્રાઈકસ દ્વારા ઉત્તરપ્રદેશ પંજાબ અને ગોવામાં ચૂંટણી લાભ ખાટવા માગે છે.  માત્ર ૩૦૩ લોકોએ જ (૧૧ ટકા) સર્જિકલ સ્ટ્રાઈક્સ થયા નથી એવા પાકિસ્તાનના પ્રચારનો ખુલાસો કરવા મોદીને વીડિયો મેસેજ બદલ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દોષિત ઠેરવ્યા હતા. ૧૮૧ યુઝરોએ (૭ ટકા) જણાવ્યું હતું કે કોંગ્રેસ આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપી રહી છે. કારણ કે તેના મુંબઈ સ્થિત પ્રવક્તા નિરૂપમ નાણાવટીએ એવું નિવેદન જારી કર્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈક્સ બનાવટી હતા.

Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *