National

સાયકલ ચૂંટણી નિશાનવાળી સપા માટે ‘‘વર્લ્ડ બાઇસિકલ ડે’’ સારો નથી રહ્યો, સપા-બસપા ગઠબંધન તૂટવાની અણીએ

(એજન્સી) આઝમગઢ, તા. ૩
૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ફરારી અને સાયકલ વચ્ચેની સ્પર્ધા ગણાવતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોમવારે જણાવ્યું કે, ભાજપે વિકાસના આધારે ચૂંટણી જીતી નથી. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે ચૂંટણી હારી ગયા પરંતુ આજે પણ હું પડકાર ફેંકું છું કે, અમારા વિરોધીઓ સમાજવાદી પાર્ટીના વિકાસ સાથે સરખામણી કરી જુએ. તેમને કોઇ તક નહીં મળે. તેઓ વિકાસના આધારે ચૂંટણી જીત્યા નથી પણ અન્ય કારણોથી ચૂંટણી જીત્યા છે. તેમણે ઉમેર્યું કે, આ સ્પર્ધા ફરારી અને સાયકલ વચ્ચેની હતી. દરરોજ ટીવી કોણ જુએ છે ? કોણે ટીવી ખરીદ્યા છે ? તેઓ આપણા મગજમાં ઘૂસીને લડ્યા છે. બીએસપી અને આરએલડી સાથે ગઠબંધન છતાં અખિલેશ યાદવે લોકસભા ચૂંટણીમાં ભારે હારનો સામનો કરવો પડ્યો છે. અખિલેશે ઉમેર્યું કે, તેમણે એસપી-બીએસપીના ગઠબંધનને મુસ્લિમો, યાદવો અને દલિતોનું ગઠબંધન ગણાવ્યું. ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીઓ અને આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓની તૈયારીઓ અંગે બોલતા અખિલેશે કહ્યું કે, ઘણી રાજકીય લડાઇ લડાઇ છે. અમે પણ મોટા સપના જોયા છે અને ૨૦૨૨ તથા ૨૦૨૪ને લક્ષ્યાંક બનાવ્યા છે. તમે તમે મોટા સપના જોશો તો સાકાર થશે. લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને પાંચ, બસપાને ૧૦ તથા આરએલડીને એક પણ બેઠક મળી ન હતી. જ્યારે ભાજપને ૬૨ બેઠકો મળી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.