National

‘AAPની જીત ઈસ્લામથી જીત છે’ : સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા બનાવટી ટ્‌વીટ અંગે ખુલાસો

(એજન્સી) તા.૧પ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત પછી સોશિયલ મીડિયામાં આપ સાથે સંકળાયેલા અનેક બનાવટી મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આવું જ એક મેસેજ આપના ધારાસભ્ય અમાનતુલ્લાખાનના નામથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી અમાનતુલ્લાખાને ટ્‌વીટ કર્યું હતું કે, આજે શાહીનબાગ જીત્યું, આજે અમારું ઈસ્લામ જીત્યું. પરંતુ આ મેસેજની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તે ઉપજાવી કાઢેલો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ મેસેજને શેર કરી રહ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે મતગણતરીના ૧૩ રાઉન્ડ પૂરા થયા પછી ૭ર,૦૦૦ મતોથી આગળ છું. આજે શાહીનબાગ જીત્યું, આજે અમારું ઈસ્લામ જીત્યું, ઈન્શાઅલ્લાહ ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં ઈસ્લામની જીત થશે. મારા બધા જ મુસ્લિમ ભાઈ-બહેનોનો આભાર બધા એ એકજૂથ થઈ તાકાતનો પરચો આપી દીધો. એકજૂથ રહેજો. આપણે ઈતિહાસનું પુનરાવર્તન કરીશું. પરંતુ જ્યારે આ ટ્‌વીટ અંગે તપાસ કરવામાં આવી ત્યારે સાબિત થયું કે તે બનાવટી છે. અમાનતુલ્લાખાને વાસ્તવમાં ટ્‌વીટ કર્યું હતું કે, ૧૩ રાઉન્ડ પૂરા થયા પછી ૭ર,૦૦૦ મતોથી આગળ છું. આમ અમાનતુલ્લાખાનના આ ટ્‌વીટની સાથે ઉશ્કેરણીજનક લાઈનો જોડી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.