અફઘાનિસ્તાનની મસ્જિદમાં ડબલ આત્મઘાતી વિસ્ફોટમાં રપનાં મોત

(એજન્સી) કાબૂલ, તા.૩
પૂૂર્વીય અફઘાનિસ્તાનમાં શિયા મસ્જિદમાં થયેલ આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા રપ લોકોના મૃત્યુ થયા છેે. જ્યારે ર૩ લોકો ઘવાયા છે. પ્રાંતિય રાજ્યપાલના પ્રવકતા અબ્દુલ્લાહ અસરતે આપેલ માહિતી મુજબ આ આત્મઘાતી હુમલા ગરદેઝની રાજધાની પાકિસ્તાની મસ્જિદમાં થયો હતો. મસ્જિદ શુક્રવારની નમાઝ પઢી રહેલા શ્રદ્ધાળુઓથી સંપૂર્ણ પણે ભરેલી હતી ત્યારે આ હુમલો થયો હતો. આ હુમલાની હજુ કોઈ સંગઠને જવાબદારી લીધી નથી. પરંતુ ઈસ્લામિક સ્ટેટ આ પહેલાં પણ અફઘાનિસ્તાનમાં શિયા શ્રદ્ધાળુઓ પર હુમલા કરી ચૂક્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks