શંકાસ્પદ IS આતંકી દ્વારા તુર્કી પોલીસકર્મીની ચાકુના ઘા મારી હત્યા

(એજન્સી) અંકારા,તા.૧૪
ઈસ્તંબુલમાં આવેલા એક પોલીસ સ્ટેશનની નજીક દાઈશ ગ્રુપના એક શંકાસ્પદ સભ્ય દ્વારા પોલીસકર્મીની ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ હુમલાખોર આત્મઘાતી વિસ્ફોટ કરવાની તૈયારીમાં હતો, તેવી પોલીસકર્મીને શંકા જતા આ હુમલાખોરે તેની હત્યા કરી હતી. આ ઘટના લગભગ રાત્રિના ૧૧ કલાકે બની હતી. જો કે, હાલ તો આ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઘાયલ થયેલા પોલીસકર્મીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમણે પોતાનો દમ તોડી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલાખોર હુમલો કરવા માટે ચાકુ લઈ જવામાં કેવી રીતે સફળ રહ્યો તે હજી સુધી જાણી શકાયું નથી.
તુર્કીના ઈતિહાસમાં ૨૦૧૬નું વર્ષ લોહિયાળ રહ્યું હતું. આ સમયે કરવામાં આવેલા આતંકી હુમલાઓમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ હુમલા માટે આઈ.એસ. જેહાદીઓને દોષી ઠેરવવામાં આવ્યા કે જેઓએ ત્રણ દાયકાઓથી પાડોશી દેશ સીરિયા અને ઈરાક તથા કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી પર કબજો મેળવી લીધો હતો અને તેઓએ આ માટે તુર્કીશ રાજ્ય સાથે લડાઈ પણ લડી છે. ઈસ્તંબુલમાં નવા વર્ષના દિવસે ૨૦૧૭માં થયેલા માત્ર ૭૫ મિનિટના એક હુમલામાં લગભગ ૩૯ લોકો મોતને ભેટ્યા હતા. આ હુમલા બાદ મોટાભાગના શહેરોમાં તણાવગ્રસ્ત માહોલ જોવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks