National

ટીપુ સુલતાન મામલે વિવાદ વકર્યો : કર્ણાટકના સીએમ સિદ્ધરમૈયાએ કેન્દ્રીય પ્રધાન હેગડેની ઝાટકણી કાઢી

(એજન્સી) બેંગ્લુરુ,તા.૨૩
ટીપુ સુલતાનની જયંતીને લઇને કર્ણાટકમાં વિવાદ વધુ વકરી રહ્યો છે. કર્ણાટક સરકાર ટીપુ જયંતિ પર મને ન બોલાવે, તે હત્યારો હતો એવા નરેન્દ્ર મોદી સરકારના પ્રધાન અનંત હેગડેએ કર્ણાટક સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમને ટીપુ જયંતીના કાર્યક્રમમાં બોલાવવામાં ન આવે.
અનંતકુમાર હેગડેના આ પત્ર લખવાના પગલાને વખોડી કાઢતા કર્ણાટક સરકારના પ્રધાન સિદ્ધરમૈયાએ જણાવ્યું હતું કે હેગડેએ સરકારમાં રહીને આવો પત્ર લખવો જોઇએ નહીં. તેમણે જણાવ્યું હતું કે ટીપુ જયંતિના કાર્યક્રમનું આમંત્રણ તમામ કેન્દ્રીય અને રાજ્યકક્ષાના પ્રધાનોને મોકલવામાં આવે છે. કોઇએ તેમાં આવવું કે નહીં તે તેમના પર નિર્ભર કરે છે. આ મામલાને બિનજરૂરી રીતે રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.
સિદ્ધરમૈયાએ જણાવ્યું હતું કે બ્રિટિશ સરકાર સામે ચાર યુદ્ધ લડવામાં આવ્યા હતા અને તેમાં ટીપુ સુલતાને ભાગ લીધો હતો. આ અગાઉ હેગડેએ સિદ્ધરમૈયાના સચિવ અને ઉત્તર કન્નડ જિલ્લાના કલેક્ટરને પત્ર લખીને ૧૦ નવે. યોજાનારા ટીપુ જયંતિ સમારોહમાં પોતાનું નામ સામેલ નહીં કરવા જણાવ્યું હતું. કોંગ્રેસ સરકારે ટીપુ સુલતાનની જયંતિને વાર્ષિક કાર્યક્રમ બનાવવાનો નિર્ણય કર્યો છે. ૨૦૧૫માં આ કાર્યક્રમનું પ્રથમ વખત આયોજન થયું ત્યારે જમણેરી પાંખના હિન્દુ જૂથો સાથેની અથડામણમાં ૩ લોકોનાં મોત થયા હતા. ૨૦૧૫થી કોંગ્રેસ શાસિત સરકાર ૧૮મી સદીના મૈસૂરના શાસક ટીપુ સુલતાનની જન્મજયંતીની ઉજવણી કરી રહી છે જેનો ભાજપ વિરોધ કરી રહી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
National

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી 2

સક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.