Sports

બીસીસીઆઈ હવે સુરક્ષિત હાથોમાં છે : શોએબ અખ્તર

નવી દિલ્હી,તા.૧૫
શોએબ અખ્તરે સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના નવા અઢકેયકસ બનાવવામાં આવતા આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે, ગાંગુલી આ પદ માટે યોગ્ય માણસ છે. ભારતીય ક્રિકેટને તે નવી ઊંચાઈઓ પર લઇ જશે. પૂર્વ વિકેટકીપર રાશિદ લતીફ સાથેની એક ચર્ચામાં શોએબે આ વાત કહી હતી. અખ્તરે કહ્યું કે, લોકો કહેતા હતા કે ગાંગુલી મારી સામે બેટિંગ કરતાં ડરતા હતા. તે વાત ખોટી છે. તે ક્યારેય મારાથી ડર્યા નથી. એવું હોત તો તેઓ ઓપનિંગ ન કરત.
રાવલપિંડી એક્સપ્રેસના નામથી ફેમસ અખ્તરે કહ્યું કે, વર્ષ ૨૦૦૦ સુધી ભારતીય ટીમ દબાણમાં રમતી હતી. સોરવે આ ટીમને લડત આપીને જીતતા શીખવાડ્યું છે. તેઓ યુવરાજ, હરભજન, ઝહીર અને નેહરા જેવા પ્લેયર્સ લઇને આવ્યો હતો. તે ફાસ્ટ બોલર્સના કપ્તાન હતા. જો તેઓ મારા કપ્તાન હોત તો ટેસ્ટ ક્રિકેટમાં મારા નામે ૫૦૦ વિકેટ હોત.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    પિતા પોલીસમાં સિંઘમ, પુત્ર બોલરો માટે વિલન… આવું જબરદસ્ત છે શશાંક સિંહનું ક્રિકેટ કરિયર

    પંજાબ કિંગ્સના બેટ્‌સમેન શશાંક સિંહે…
    Read more
    Sports

    કે.એલ. રાહુલ અને શુભમન ગિલનું પત્તું કપાયું, શિવમ દુબેને તક મળીટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    રોહિત શર્મા કપ્તાન જ્યારે હાર્દિક…
    Read more
    Sports

    ટી-૨૦ વિશ્વકપમાં મોહસીન ખાન અને મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી થઈ શકે

    IPLમાં ધૂમ મચાવી રહ્યા છે પાંચ ભારતીય…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.