International

સીરિયન ગૃહ યુદ્ધમાં ર૬૦૧ લોકો મૃત્યુ પામ્યા

 

(એજન્સી) અંકારા,તા.૧૧
માનવઅધિકાર સમૂહે ગુરૂવારે જણાવ્યું કે સીરિયામાં ગૃહયુદ્ધ દરમ્યાન લડાકુ સમૂહોએ અત્યાર સુધી ર૬૦૧ નાગરિકોની હત્યા કરી છે. સીરિયન નેટવર્ક ફોર હયુમન રાઈટસ દ્વારા જારી એક રિપોર્ટ મુજબ માર્ચ ર૦૧૧માં યુદ્ધ શરૂઆતથી પ૯૮ બાળકો અને ર૬૭ મહિલાઓ સહિત ર૬૦૧ નાગરિકોના મોત થયા છે. પીડિતોમાં કુલ ૮ આરોગ્ય સેવા વ્યવસાયી, છ નાગરિક સુરક્ષા સ્વયંસેવક અને નવ મીડિયાકર્મી સામેલ હતા. રિપોર્ટે સંકેત આપ્યા કે અલેપ્પો ૭૦૧ જાનહાનીની સાથે સૌથી ખરાબ શહેર હતું. રક્કામાં ૬ર૬થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ૪૧૮ દેર એ જ ઝુરમાં, ર૩૬ દારામાં, ૧૮૩ હામામા, ઈદલીબમાં ૧૪૩, હસ્કામા ૧૩૧, હોમ્સમાં ૮૯, રાજધાની દમિસ્કમાં ૬૩, અસસુવેદામાં ચાર, કુનેત્રમાં ત્રણ અને લતાકિયામાં બે, એક વાર્ષિક બ્રેક અપ આપતા સમૂહે જણાવ્યું કે ર૦૦૬માં છ નાગરિકો મૃત્યુ પામ્યા. ર૦૧રમાં ૩૧, ર૦૧૩માં ૧૦૧, ર૦૧૪માં ૯૭, ર૦૧પમાં ર૪૬, ર૦૧૬માં ૪૮૯, ર૦૧૭માં ૮રર, ર૦૧૮માં ૪ર૭, ર૦૧૯માં ર૯૧ અને ર૦ર૦માં અત્યાર સુધી ૯૧ લોકોના મૃત્યુ થયા છે. ર૦૧૧થી સીરિયામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે અને વિસ્થાપિત થયા છે, જયારે અસદ શાસને લોકતંત્ર થયા છે. જયારે અસદ શાસને લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓ પર અપ્રત્યાશિત ઝડપથી તિરાડ પાડી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
International

બ્રિટનના પત્રકાર સંઘે ગાઝા પર ઇઝરાયેલના હવાઈહુમલામાં પાંચ પત્રકારોની હત્યાની ટીકા કરી

(એજન્સી) તા.૨૮બ્રિટિશ નેશનલ યુનિયન ઓફ…
Read more
International

અરબ લીગે અલ-અક્સા મસ્જિદ પરઇઝરાયેલના મંત્રીની ઘૂસણખોરીની નિંદા કરી

(એજન્સી) કૈરો, તા.૨૮અરબ લીગ (AL)ના…
Read more
International

બશર અસદના સંબંધીઓએ લેબેનોનથી બહાર જવાનો પ્રયાસ કરતાં ધરપકડ કરવામાં આવી

(એજન્સી) તા.૨૮સીરિયન રાષ્ટ્રપતિ બશર…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.