International

ઈન્ડોનેશિયા : દક્ષિણ જાકાર્તામાં ભારે પૂરથી બેનાં મોત : હજારોના સ્થળાંતર

(એજન્સી) જાકાર્તા,તા.૬
ઈન્ડોનેશિયાના દક્ષિણ પ્રાંતમાં થયેલા મૂશળધાર વરસાદથી પાટનગર જાકાર્તામાં પૂર અને જમીન ધસી પડવાના કારણે બે લોકોના મોત થયા છે જયારે ૮ લોકો ગુમ થયા છે. જાકાર્તાને જોડતા માર્ગો પર જમીન ધસી પડતા પર્વતિય રિર્સોટ શહેર પુનકેકનો સંપર્ક તૂટી ગયો હતો. જાકાર્તાના રાજયપાલે કહ્યું કે પાટનગર વિસ્તારમાં ભારે પુરથી હજારો લોકોને સ્થળાંતર કરાયા છે. ૬પ૦૦ લોકોને પાટનગરમાં સ્થળાંતર કરાવાયું હતું. સ્થળાંતર કરનારાઓને મદદ કરાઈ રહી છે. તે એનિસ બેસવીદેને જણાવ્યું હતું. બચાવ દળમાં પોલીસ અને સેના જોડાયું છે. જાકાર્તામાં પૂરના પાણીવાળા વિસ્તારોના રહીશોને સલામત સ્થળે ખસેડાયા છે. કેટલાક લોકોએ સ્થળાંતરનો ઈન્કાર કર્યો હતો. લોકો તેમના મકાનના છાપરા પર રહેવાનું પસંદ કરી રહ્યા છે તેમ રાષ્ટ્રીય આપદા પ્રબંધક સમિતિના પ્રવકતાએ જણાવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
International

બ્રિટનના પત્રકાર સંઘે ગાઝા પર ઇઝરાયેલના હવાઈહુમલામાં પાંચ પત્રકારોની હત્યાની ટીકા કરી

(એજન્સી) તા.૨૮બ્રિટિશ નેશનલ યુનિયન ઓફ…
Read more
International

અરબ લીગે અલ-અક્સા મસ્જિદ પરઇઝરાયેલના મંત્રીની ઘૂસણખોરીની નિંદા કરી

(એજન્સી) કૈરો, તા.૨૮અરબ લીગ (AL)ના…
Read more
International

બશર અસદના સંબંધીઓએ લેબેનોનથી બહાર જવાનો પ્રયાસ કરતાં ધરપકડ કરવામાં આવી

(એજન્સી) તા.૨૮સીરિયન રાષ્ટ્રપતિ બશર…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.