અહંકારી અથવા અભિમાની ન બનો. – હદીસ બોધ
બોધ વચન
મોટાભાગના લોકો પોતાના નાણાં ખર્ચાય અને પૂરા થઈ ન જાય ત્યાં સુધી તેની દરકાર કરતા નથી. ઘણાં લોકો સમયની બાબતમાં પણ આવો જ વર્તાવ કરે છે. – ગેટે
આજની આરસી
૮ ઓક્ટોબર મંગળવાર ર૦૨૪
૪ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો સુદ પાંચમ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧પ
ખત્મે ઝવાલ ૧૨-૨૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૪
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૨૦
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
મન કી દૌલત હાથ આતી હૈ તો ફીર જાતી નહિ તન કી દૌલત છાંવ હૈ, આતા હૈ ધન જાતા હૈ ધન
માનવ જ્યારે સ્વયંને પામી લે છે તો અઢળક રૂહાની ખજાનો પ્રાપ્ત થાય છે જે કયારેય ખૂટતો નથી. તે અલ્લાહમય બની જાય છે, બાકી ધનદૌલત, વૈભવ અલ્પકાલીન છે. બોધ છે કે દુન્યવી વૈભવ પાછળ દોટ ન મૂકવી જોઈએ.
– (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)