Ahmedabad

ન્યુઝીલેન્ડની બે મસ્જિદમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના મુસ્લિમ આગેવાનો

ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ  ખાતે શુક્રવારની નમાઝ વખતે બે મસ્જિદમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકો માટે આજે બપોરે ૩ કલાકે લાલદરવાજા સિદી સઈદની  મસ્જિદ ખાતે કુર્આન શરીફનું પઠન કરવામાં આવ્યું હતું અને દુઆ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે ૪ કલાકે સિદી સઈદની જાળી, લાલદરવાજા ખાતે આતંકવાદ વિરૂદ્ધ મૌન વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ન્યુઝીલેન્ડમાં બનેલ આતંકવાદી ઘટનાથી પ્રસ્થાપિત થાય છે કે આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી અને તેઓ ફકત માનવતાના દુશ્મન છે.  ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિદી સઈદની મસ્જિદ ખાતે પ્રાર્થના કરવામાં આવી હતી કે ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી આતંકવાદી પ્રવૃતિઓ નેસ્તનાબુદ થાય અને નિર્દોષ લોકોનું રેડાતું બંધ થાય. ધર્મના નામે થતી આતંકવાદી પ્રવૃતિઓ કરનારાઓને કુદરત પણ માફ કરશે નહીં. સમગ્ર વિશ્વમાં શાંતિ, ભાઈચારા અને અમનનો માહોલ પ્રવર્તમાન થાય અને શૈતાની કૃત્ય કરનારા લોકોને કુદરત સદબુદ્ધિ આપે. ઉપરોકત કાર્યક્રમમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, મ્યુનિ. કોર્પોરેશન વિપક્ષના નેતા દિનેશ શર્મા, અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર રાજુભાઈ પરમાર અને પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા બદરૂદ્દીન શેખ, ઈકબાલ શેખ એડવોકેટ, મ્યુનિસિપલ કાઉન્સિલરો, કોંગ્રેસના કાર્યકરો તેમજ શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.