Gujarat

સુરતમાં ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ઈદે મિલાદ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

 

સુરત, તા.૩
રાજ્યભરમાં ઈદે-મિલાદુન્નબીની આન-બાન-શાન સાથે ખુશી ભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરત ખાતે ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ઈદે મિલાદ નિમિતે અનેક કાર્યક્રમોનું આયોજન કરી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ઈદે મિલાદના દિવસે ભૂખ્યાઓને સવારે નાસ્તામાં બ્રેડ-જામ અને શાક-પાવ આપવામાં આવ્યા હતા. ૧રપ જરૂરિયાતમંદ કુટુંબોને અનાજની કિટ આપવામાં આવી હતી. બપોરે બાળકોને ખજૂર તથા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, બાળકોને ઝંડા વિતરણ કરાયું હતું. ભૂખ્યાઓને સાંજે દાળ-ભાત અપાયા હતા. ખ્વાજાદાના દરગાહના ફેશલ બાપુના હસ્તે ૬૩ કિલોનો કેક કાપી લોકોમાં વિતરણ કરાયું હતું. હાર્ટના મફ્ત કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૭૯ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. મૈત્રય હોસ્પિટલના ડૉ.રાજીવ અરવર અને તેમના સ્ટાફે સેવા આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એકતા ટ્રસ્ટના અબ્દુલ રહેમાનભાઈ મલબારી, નિસાર બાપુ, આસીફ બાપુ, હાજીભાઈ ચાંદીવાલા, ફારૂકભાઈ મેમન, ઈમ્તિયાઝભાઈ શેખ, રઈશભાઈ ડાળલા સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ આસીફભાઈ ચીડીમાર, ઉપપ્રમુખ સબીરભાઈ દડા, સેક્રેટરી ફૈયાઝભાઈ ચીડીમાર, જલીલભાઈ ચીડીમાર, વસીમ નવસારી, બુસરા શેખ, સાજીયા શેખ, શના શેખ, કૌસર કાઝી, એયમન ચીડીમાર સહિત કાર્યકરોએ ભારે મહેનત કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.