Ahmedabad

નવજીવન આપનારી હોસ્પિટલમાં બેદરકારીએ કોરોનાના આઠ દર્દીઓનો જીવ લીધો

કોરોનાની મહામારી વચ્ચે નવજીવન આપનારી હોસ્પિટલમાં બેદરકારીએ જ આઠ દર્દીઓનો જીવ લીધો છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા બેદરકારીને લીધે કોરોનાના આઠ દર્દીઓનાં મોત નિપજ્યા છે. જો કે, આઈસીયુ વોર્ડમાં દાખલ મોટાભાગના દર્દીઓ સાજા થઈ ગયા હોવાથી એક-કે બે દિવસમાં તેમને રજા આપવામાં આવવાની હતી. પરંતુ કોરોનાથી બચી ગયેલા લોકોને તંત્રની બેદરકારીની આગે લપેટમાં લેતાં આખરે તમામ આઠ દર્દી મોતને ભેટ્યા હતા. તો દર્દીના જીવન સાથે રમત રમનારા હોસ્પિટલના સંચાલકો અને તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી થશે કે કેમ ? તે સવાલો ઉઠ્યા છે. પ્રસ્તુત તસવીરોમાં હોસ્પિટલમાં આગને પગલે બારીઓના તૂટેલા કાચ, મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રૂદન, તપાસ માટે હોસ્પિટલ પહોંચેલી પોલીસ અને પોસ્ટમોર્ટમ રૂમથી મૃતદેહને લઈને જતા પરિવારજનો નજરે પડે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.