Gujarat

સુરતની મજૂર અદાલતનો ચુકાદો : રોજીંદા બેલદારને નોકરીમાં પુનઃ સ્થાપિત કરો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
સુરત મહાનગરપાલિકાના ફાઈલેરીયા મેલેરીયા વિભાગના ઉધના ઝોનના ભેસ્તાન યુનિટમાં રોજિંદા બેલદાર તરીકે છેલ્લા ચાર વર્ષથી અરવિંદભાઈ ધીરૂભાઈ પટેલ ફરજ બજાવતા હતા. તેમની નિમણૂંક સુરત મનપાના કમિશનરે અધિકારની રૂએ કરી હતી. મનપા સરકારના મજુર કાયદાઓનો પણ ભંગ કરતી હતી. કાયદેસરની પોસ્ટ ઉભી કરી નિમણૂંક આપી હોવા છતાં ચાર વર્ષની ફરજ દરમ્યાન આ રોજિંદા કામદારને કાયદા મુજબ નામ જાગ નિમણૂંક પત્ર પણ આપવામાં આવેલ નથી.
સુરત મનપાએ સને ૨૦૧૨માં ફાઈલેરીયા મેલેરીયાની કામગીરીમાં જાડાયેલા રોજિંદા બેલદારોને ગેરકાયદે એકાએક નોકરીમાંથી છુટા કરી આ કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટના એજન્સીને સોંપી દેતા રોજિંદા કામદારો નોકરી વગરના થયા હતા. આ રોજિંદા કામદારે સુરત મનપા લાલ વાવટા યુનિયનના પ્રમુખ અને એડવોકેટ વિજય શેણમારે મારફત સુરતની મજુર અદાલતમાં સુરત મનપા વિરૂદ્ધ કેસ કરતા મનપા તરફથી કોઈ અધિકારી કે એડવોકેટ હાજર ન રહ્યું હતું જેથી કેસ એક્ષ પાર્ટી તરીકે ચાલી જતા મજુર અદાલતે આ રોજિંદા બેલદારને તેઓની નોકરીમાં મૂળ જગ્યાએ નોકરીની સળંગતા સાથે પુનઃસ્થાપિત કરવા તથા આ કામદારને નોકરીમાંથી છુટા કર્યા તારીખથી ફરીથી નોકરીમાં પુનઃ સ્થાપિત કરવામાં આવે ત્યાં સુધીના સમયગાળાના ૫૦ ટકા લેખે પડેલા દિવસોનો પગાર ચૂકવી આપવા સુરત મનપાના કમિશનરને હુકમ ફરમાવ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.