રાજુલા, તા.૭
રાજુલા તાલુકાના વિકટર ગામના સામાજિક કાર્યકર અજય શિયાળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી રજૂઆતો કરવામાં આવી હતી કે રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના વિસ્તારમાં ખાનગી કંપની ઓમ્ સાંઈ નેવિગેશન પ્રા.લિ. ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કંપની સહિતના અન્ય ઈસમો દ્વારા મેન્ગ્રુવના વૃક્ષોનુ ખુલ્લેઆમ નિકંદન કાઢી બહું મોટાં પ્રમાણમાં પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થયું છેે. આ અરજીના સંદર્ભમાં હાઈકોર્ટે દ્વારા આદેશ આપ્યા બાદ સરકાર દ્વારા સ્થળ તપાસ હાથ ધરી તા.૬ મેંના રોજ સ્થળ તપાસનો રિપોર્ટ રજૂ કર્યો હતો તેમાં સરકારના અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે સ્થળ પર નાના-નાનાં મેન્ગ્રુવના છોડ છે અને વિકટર પોર્ટની હાલની સ્થિતિના ફોટોગ્રાફ અને વીડિયો રજૂ કર્યા હતા. ત્યારે સામી તરફ અરજદારના વકીલ દ્વારા ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા તૈયાર કરવામાં આવેલા નકશા પર વિકટર પોર્ટમાં મેન્ગ્રુવના વૃક્ષો આવેલા છે આથી આ કેસની વધુ સુનાવણી આગામી ૧૦ મેના રોજ હાથ ધરવામાં આવશે તેમાં ગુજરાત હાઈકોર્ટે દ્વારા ગુજરાત ઇકોલોજી કમિશનના સભ્યની નિમણૂક કરવા માટે આદેશ આપ્યો છે.