Gujarat

ગુજરાતની પાલિકાઓમાં મહેકમની પ૦% જગ્યાઓ ભરતી કરવાનો નિર્ણય : મનહર ઝાલા

ભૂજ,તા.૧
ભારત સરકારના ચેરમેન શ્રી મનહર ઝાલા ગુજરાતના પ્રવાસે આવેલ છે. તેઓ કચ્છના બે દિવસના પ્રવાસે આવેલ છે. જેમાં પ્રથમ દિવસે ભૂજમાં ૪ર જેટલા સફાઈ કામદારોને કાયમી કરવાનો હુકમ એનાયત કર્યો હતો.
ત્યારબાદ અત્રેની કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં તેમણે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમાં જણાવેલ કે સફાઈ કામદારોના હિતમાં મુખ્યમંત્રીએ હાલમાં જ અમુક નિર્ણયો જાહેર કરેલ છે તે બદલ તેમનો આભાર વ્યકત કર્યો હતો. ગુજરાતમાં પ્રથમવાર સફાઈ કામદારોને કાયમી કરવાનો નિર્ણય કરેલ છે. મહેકમના પણ જગ્યાઓની ભરતી કરવાનો નિર્ણય કરેલ છે. ભૂજ ઉપરાંત ભચાઉમાં ૯ અને રાપરમાં ૧પ જણને કાયમી કરેલ છે. આ ઉપરાંત મૃત્યુ પામેલા સફાઈ કામદારોના વારસોને નોકરી આપવા સશક્ત કામ ન કરી શકે તેવા કામદારો સ્વૈચ્છિક નિવૃત્તિ લેતો તેના વારસદારને નોકરીમાં રાખવા વગેરે નિર્ણયો જાહેર કર્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે પોરબંદર, રાણાવાવ વગેરે સ્થળે પણ સફાઈ કામદારોને કાયમી કર્યા હોવાનું ઉમેર્યું હતું. આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્ય, ભૂજ નગરપાલિકા મેયર શ્રીમતી લતાબેન સોલંકી, નાયબ માહિતી નિયામક વી.બી.ઝાલા, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સ્ટાફ હાજર રહ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Crime DiaryGujarat

રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.