પાલનપુર, તા.૩૧
તાજેતરમાં ગત શુક્રવારે જીપીએસસીના આવેલ પરિણામમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પાસેના કાણોદર ગામની રૂહી હસનભાઈ પાયલા ડીવાયએસપીમાં પસંદ થતા કાણોદર સહિત મુસ્લિમ સમુદાયમાં ગૌરવની લાગણી વ્યાપી છે. પાલનપુરથી પાંચ કિ.મી.ના આંતરે આવેલ કાણોદર ગામના હસનભાઈ પાયલાના શિક્ષિત પરિવારમાં જન્મેલી રૂહી નાનપણથી ભણવામાં હોશિયાર હતી. જીવનમાં કંઈક બનવાની ખેવના સાથે તેણીએ વર્ષ- ર૦૧૪થી જીપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. દિવસમાં ૧ર કલાકથી વધુ વાંચન કરતી હતી તથા માતા-પિતાના સહયોગ સાથે અથાગ પરિશ્રમ કરી પોતાનું સપનું સાકાર કરી બતાવી સમાજની અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે.
‘મન હોય તો માળવે જવાય’ એ ઉક્તિને કાણોદરની રૂહીએ સાર્થક કરી અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે.
1
2